Government Hostel Admission 2026-27 | સરકારી છાત્રાલય પ્રવેશ જાહેરાત: જાણો સંપૂર્ણ વિગતો
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વર્ષ 2026-27 માટે સરકારી કુમાર/કન્યા છાત્રાલયોમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરવામાં આવી છે. આ જાહેરાત ખાસ કરીને સમાજના પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઉત્તમ તક બની રહી છે.
જો તમે ધોરણ 11-12, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી અથવા અન્ય કોર્સમાં અભ્યાસ કરતા હો, તો આ યોજના તમારા માટે ખૂબ જ લાભદાયક બની શકે છે.
વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ
સરકારી છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને મળતી મુખ્ય સુવિધાઓ:
- સુરક્ષિત રહેઠાણ
- અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ
- આર્થિક રીતે રાહત
- ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન
- સરકારની વિવિધ સહાય યોજનાઓનો લાભ
વધુ માહિતી માટે નીચેનો વિડીયો અવશ્ય નિહાળો.
કોણ કરી શકે અરજી?
આ યોજનાનો લાભ નીચેના વર્ગોના વિદ્યાર્થીઓ મેળવી શકે છે:
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ
- અતિ પછાત વર્ગ
- વધુ પછાત વર્ગ
- વિચરતી અને વિમુક્ત જાતિ
- આર્થિક રીતે પછાત વર્ગ (EWS)
- અનુસૂચિત જાતિ (SC)
- અનુસૂચિત જનજાતિ (ST)
ઓનલાઈન અરજીની તારીખ
વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થશે:
📅 25 મે 2026 (બપોરે 12:00 વાગ્યાથી)
📅 30 જૂન 2026 (રાત્રે 11:59 સુધી)
- Fresh અને Renewal વિદ્યાર્થીઓ માટે અરજીની છેલ્લી તારીખ: 10 જૂન 2026
અરજી ક્યાં કરવી?
વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી નીચેની સત્તાવાર વેબસાઇટ પર કરવી રહેશે:
🌐 https://esamajkalyan.gujarat.gov.in/
જરૂરી લાયકાત
- છેલ્લા પરીક્ષામાં ઓછામાં ઓછા 60% ગુણ જરૂરી
- છેલ્લા બે સેમેસ્ટરની સરેરાશ 50% અથવા તેથી વધુ ગુણ
- ગ્રેડ સિસ્ટમ હોય તો સમકક્ષ ગ્રેડ જરૂરી
- સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે વાર્ષિક પરિવાર આવક રૂ. 6 લાખ સુધી રહેશે.
મહત્વપૂર્ણ સૂચનાઓ
✔️ અરજી માત્ર ઓનલાઈન જ સ્વીકારાશે.
✔️ તમામ જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
✔️ ખોટી માહિતી આપશો તો અરજી રદ થઈ શકે છે.
✔️ મેરિટ આધારિત પ્રવેશ આપવામાં આવશે.
✔️ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વેબસાઈટ પર જાહેર થશે.
ઓનલાઇન અરજી ફોર્મ ભરતા સમયે વિદ્યાર્થી દ્વારા નામ, સરનામું, જાતિ, જ્ઞાતિ-પેટા જ્ઞાતિ, માર્કસ/ટકાવારી, સરકારી છાત્રાલયની પસંદગી તેમજ અન્ય તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે. અરજી સબમીટ કરતા પહેલા ફોર્મમાં ભરેલ તમામ વિગતો યોગ્ય છે કે કેમ તેની ખાતરી કરી લેવાની રહેશે. અરજી ફોર્મ માં ખોટી વિગતો ભરેલ હશે તો તેવા વિદ્યાર્થીની અરજી રદ થવા પાત્ર રહેશે આ માટે તમામ જવાબદારી વિદ્યાર્થી/વાલીની રહેશે.
વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવાઓ કરી શકશે નહીં. સરકારે ઠરાવેલ નિયમો અનુસાર અરજી મંજૂર કરીને મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે.
સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેની ઓફિશિયલ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી મેરીટ યાદીમાં આવેલ છાત્રોએ સંબંધિત સરકારી છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના અન્ય પ્રમાણપત્રોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
સૌપ્રથમ રીન્યુઅલ વિદ્યાર્થીઓને નિયમો અનુસાર પ્રવેશ આપ્યા બાદ મકાનની ક્ષમતા અને માન્ય સંખ્યાને ધ્યાને લઈ ખાલી રહેતી જગ્યાઓમાં નિયમ અનુસાર મેરીટથી ફ્રેશ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
શા માટે આ તક ખાસ છે?
ઘણા વિદ્યાર્થીઓ માટે શહેરોમાં રહીને અભ્યાસ કરવો ખર્ચાળ બને છે. આવી સ્થિતિમાં સરકારના છાત્રાલયો વિદ્યાર્થીઓને સસ્તું અને સુરક્ષિત નિવાસ પ્રદાન કરે છે, જેથી તેઓ અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે.
આ યોજના ખાસ કરીને ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન છે.




